Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજ્ય સરકારે 26મી જાન્યુઆરીએ જૂનાગઢને સિંહ દર્શનની આપી ભેટ : આજે અચાનક રાતોરાત ગિરનારમાં સિંહ દર્શન ની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં ગિરનાર સિંહ દર્શનની પ્રથમ ત્રણ ટ્રીપ 18 પ્રવાસીઓ સાથે સિંહ દર્શન કરી પરત આવી :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાતનો આજથી જ અમલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : અનેક વિટંબણાઓ બાદ હવે સાસણ બાદ જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આજથી સિંહ દર્શનનો પ્રારંભ થયો છે જેમાં ઇન્દ્રેશ્વર નાકા થી લઇ પાતુરણ  ચેકપોસ્ટ સુધી 26 કિલોમીટરના રૂટ માં સિંહ દર્શન નો પ્રારંભ થયો છે આ મુદ્દે અગાઉ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી તેનો નિકાલ થતાં ૨૬મી જાન્યુઆરીથી સિંહ દર્શનનો રાજ્ય સરકારે રાતોરાત નિર્ણય પ્રારંભ કરાવી દીધો છે જેમાં નિયમો સાસણ ની જેમ જ રહેશે અને દરરોજની 8 પરમીટ કાઢવામાં આવશે જેમાં સવારે ચાર અને સાંજે ચાર પરમીટ આપવામાં આવશે જીપ્સીના રૂપ આસપાસ 50 જેટલા સિંહોનો વસવાટ આવેલો છે.તેમ ડૉ. સુનિલ બેરવાલ, નાયબ વન સંરક્ષક, ગીરનાર વાઇલ્ડલાઇફ સેન્ચુરી- જૂનાગઢ એ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાતનો આજથી જ અમલ કરવામાં આવ્યો છે.

        સિંહ દર્શનની શરૂઆત બે વર્ષ પહેલાં જ કરવાની જાહેરાત થઈ હતી પરંતુ આ મુદ્દો કોર્ટમાં જતા ટલ્લે ચડી ગયો હતો જેથી ગિરનારમાં સિંહ દર્શન માટે 10 જિપ્સી 12 ગાઈડ તૈયાર જ હતા અને આજથી સાસણ બાદ હવે પ્રવાસીઓને ગિરનારમાં સિંહ સાથે અનેક પક્ષીઓ પ્રાણીઓ અને પ્રકૃતિના દર્શન કરવાનો લ્હાવો મળશે પ્રવાસીઓને ગિરનારમાં સિંહ દર્શન માટે 800 રૂપિયા પરમીટ ચાર્જ 1700 રૂપિયા નું ભાડું અને ચારસો રૂપિયા ગાઈડના એમ કુલ મળી 2900 રુપિયા પ્રવાસીઓને ચાર્જ ચુકવવાનો રહેશે.

       આજે સવારે પ્રથમ ટ્રીપ 6:45 ગિરનાર સફારી માટે રવાના થઇ હતી જેમાં ૨૦૦ મીટર દૂર જતાં જ બે સિંહોના દર્શન થયા બાદ માં અને પક્ષીઓ પ્રાણીઓ અને પ્રાકૃતિક સૌંદર્યના અદભુત દર્શનનો લાહ્વો મળ્યો હતો સાસણ કરતાં પણ વધુ ગિરનાર સફારીમાં વધુ મજા આવી હોવાનો પ્રવાસીએ જણાવ્યું છે પ્રથમ ટ્રીપમાં 18 પ્રવાસીઓ રવાના થયા હતા અને બપોર બાદ બીજી ચાર જિપ્સી ઓ પ્રવાસીઓને લઈ ગિરનારની સફારી માટે જશે પ્રવાસીઓ માટે શરૂઆતના તબક્કામાં કરંટ પરમિટ પણ ઉપલબ્ધ રહેશે બાદમાં ઓનલાઇન પરમીટ જ મળશે.

(6:58 pm IST)