Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કચ્છના જખણીયા ગામે પત્નિ અને ત્રણ સંતાનોની હત્યા કરનાર પતિની લાશ મળી : આત્મહત્યા કરી હોવાની શંકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૬:  ગત ૨૧ ઓકટોબરે માંડવીના જખણીયા ગામે પોતાની પત્નિ ભાવનાબેન, ત્રણ માસુમ પુત્રીઓ ધ્રુપ્તિ, કિંજલ અને ધર્મિષ્ઠાની હત્યા કરી ફરાર થઈ જનાર પતિ શિવજી પચાણ સંદ્યારની લાશ આજે મોડી સાંજે મળી આવી છે. વણોઠી ડેમ પાસેના જંગલમાં શિવજીની કોહવાયેલી લાશ મળી આવી હતી. શિવજીએ આત્મહત્યા કરી હોવાની શંકાના આદ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ૪૦ વર્ષીય શિવજીએ આર્થિક સંકડામણ અને બે પુત્રીઓની બીમારીથી માનસિક સમતુલા ગુમાવી ચાર ચાર હત્યાઓ કરી જાતે જ પોતાના પરિવારનો માળો વીંખી નાખ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે માંડવી તાલુકાના જખણીયા ગામમાં ત્રણ સંતાનો સાથે પત્નીની હત્યા કરનાર આરોપી પતિની આસંબીયા સીમ વિસ્તારમાં લાશ મળી આવી. શિવજી ઉર્ફે જખુ પચાણ સંગાર જેના પર હત્યાની કલમો તળે ગુનો નોંધાયો હતો.  જે દરમ્યાન બે ચાર દિવસોથી માંડવી પોલીસ તપાસમાં હતી ત્યારે વણોઠી ડેમની બાજુમાં આવેલ જંગલ બાજુમાં જતા માનવ લાશની દુર્ગંધ આવતા જંગલમાં જઇ તપાસ કરતા આરોપી શિવજી ઉર્ફે જખુ પચાણ સંગારની લાશ હોવાનું માલુમ પડતા પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)