Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બગસરામાં નાગરિક શરાફી મંડળી દ્વારા સંઘાણીનું સન્માન

બગસરા : બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા સહકારી ક્ષેત્રના આગેવાનો ની ઉપસ્થિતિમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંદ્યાણીને એશિયા ખંડના પ્રતિનિધિઓ દ્વારા (ફચ્ઝ્રખ્ઘ્) એગ્રીકલ્ચર અને કો-ઓપેટીવ કમિટીના ચેરમેન બનાવવામાં આવતા સહકારીતાનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા બગસરા નાગરિક શરાફી મંડળીના રશ્વિનભાઈ ડોડીઆ, ભરતભાઇ ટાંક, ઉર્વીબેન ટાંક, એ.વી.રિબડીયા, જેન્તીભાઈ પાનસૂરિયા અનિલભાઈ વેકરિયા, ભાવેશભાઈ મસરાણી, મનોજભાઈ મહિડા, ધીરૂભાઈ કોટડીયા, જેન્તીભાઈ માલવીયા ભાવનાબેન સતાસીયા વીણાબેન સરવૈયા રસિલાબેન પાથર નિતેશ ડોડીઆ બગસરા નાગરિક મંડળીના એમ.ડી. દિનેશચંદ્ર મહેતા સહિતના અનેક સહકારી મંડળીના ચેરમેન તેમજ ડિરેકટરો ઉપસ્થિત રહીને દિલીપભાઈ સંદ્યાણીને સન્માનિત કર્યા હતા. સંચાલન બગસરા નાગરિક શરાફી મંડળીના જનરલ એમ.ડી. નિતેશ ડોડીયા તથા જે. પી. માલવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:31 am IST)