Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

જેતપુર પુરૂષોતમધામ હવેલી ખાતે ભવ્ય અન્નકોટ શ્રીકૃષ્ણકુમારજીના સાનિધ્યમાં યોજાયો

જેતપુરઃ સુદામાનગર ખાતે આવેલ શ્રી પુરૂષોતમધામ હવેલી ખાતે વૈશ્વણવાચાર્ય શ્રી કૃષ્ણકુમારજી મહોદય તેમજ આશ્રય બાવાના સાનીધ્યમાં સવારે ગૌર્વધન પુજા બાદ બપોરે કિર્તન આચાર્યશ્રીના વચનામૃત યોજાયેલ.સાંજે અન્નકોટના દર્શન ખુલ્લા મુકવામાં આવેલ. આ પ્રસંગે રાજુભાઇ પટેલ, વિરજીભાઇ વેકરીયા, અશોકભાઇ રાદડીયા, લલીતભાઇ રાદડીયા સહિત વૈશ્વણવો ઉપસ્થિત રહેલ. મહામારી હળવી થયા બાદ પ્રથમ વખત હવેલી ખાતે અન્નકોટ ઉત્સવ ઉજવાતા વૈષ્ણવો ભાવ વિભોર બની ગયા હતા

(1:12 pm IST)