Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વાંકાનેરનાં જીતુભાઇ સોમાણી દ્વારા રામમંદિર માટે ૧.૨૧ લાખ અર્પણ

વાંકાનેર, તા.૨૭: અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રિત અભિયાન ચાલી રહયું છે, જેમાં વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ ૧.૨૧ લાખની રકમ નિધિ અર્પણ કરેલ છે. વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલ હિન્દુત્વ વિચારધારાને વરેલા, લોક પ્રશ્નો ઉકેલવા હમેશા જાગૃત એવા વાંકાનેરના  જીતુભાઇ સોમાણીએ શ્રી રામ મંદિર નિર્માણ માટે પોતાની શ્રદ્ઘા વ્યકત કરી અને ૧,૨૧, ૦૦૦/ રકમ શ્રી રામ મંદિર માટે સમર્પણ કરેલ છે.

(11:29 am IST)