Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુરેન્દ્રનગરના જાણીતા બિલ્ડર જગદીશભાઈ શાહના પત્નીનો કોરોનાએ ભોગ લીધો

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર, તા. ર૭ : સુરેન્દ્રનગર શહેરના જાણીતા બિલ્ડર જગદીશભાઈ શાહના ધર્મપત્ની માલાબેન શાહનું કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

 શહેરના જેલ ચોક વિસ્તારમાં રહેતા અને સુરેન્દ્રનગર શહેરના મોટા બિલ્ડર જગદીશભાઈ શાહના ધર્મપત્ની માલાબેનનું કોરોના વાયરસમાં સપડાયા હતા.

તેઓને  અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયા કોરોનાની સારવાર દરમિયાન  મોત નિપજતા જૈન સમાજમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. (૯.૧૩)

 

(1:15 pm IST)