Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાનાં વરવાળા ગામે પથ્થર નાં ઘા મારીને પરણિત યુવકની હત્યા થતા ખળભળાટ

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાનાનાં વરવાળા ગામે પથ્થર નાં ઘા મારીને પરણિત યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વરવાળા ગામે અરવિંદભાઈ નામનાં ૩૬ વર્ષીય પુરુષ ની મોટો પત્થર મારીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી

દ્વારકા પોલિસ ટીમે ઘટના સ્થળે  પહોંચીને તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકને પત્ની અને બે બાળકો હોવાનું ખૂલ્યું છે. યુવકની હત્યા કયા કારણોસર ? અને કોણે કરી ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

હત્યાના બનાવથી નાના એવા ગામ માં ચકચાર મચી ગઇ છે.

(12:12 pm IST)