Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કચ્છમાં વકીલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત : જામનગરમાં માહેશ્વરી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું

વકીલના પરિવારને ન્યાય નહીં મળવા પર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી

જામનગરઃ કચ્છમાં વકીલની હત્યા મામલે ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જામનગરમાં મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કડકમાં કડક સજા આપવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ મહેશ્વરી સમાજે વકીલના પરિવારને ન્યાય નહીં મળવા પર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની મદદથી એક આરોપીની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 જેટલા સંદિગ્ધ પણ પોલીસ પકડમાં હોવાનું બહાર આવ્યું છે.

(10:57 pm IST)