Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સરા નજીક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ યોજાયો

વઢવાણ : મૂળી - સરા રોડ પર આવેલ ટી એચ વાઘેલા વિદ્યાલય ખાતે શ્રી દુધઇ વડવાળા દેવમંદિરના મહંતશ્રી રામબાલકદાસજી કૃષ્ણવદનજી પવનસિહ રાણા બિપિનભાઇ રાવલ, ભાવેશભાઇ, નવુભાઝાલા, ભુરાભાઇ મલ્લ સહિત વિ.હિ.પ અને બજરંગદળના હોદેદારો કાર્યકરોની હાજરીમાં સમગ્ર મૂળી પંથક માથી ૩૦૦ જેટલા યુવાનોએ મા સરસ્વતિના સાનિધ્યમા ત્રિશુલ ધારણ કરી હિન્દુ સંસ્કૃતિની રક્ષા અને ધર્મ રક્ષા કરવાના શપથ સાથે રાષ્ટ્ર રક્ષા ની ભાવના વ્યકત કરતા ઉપસ્થિત સંતોએ આર્શિવચન પાઠવેલ હતા આ તકે ભાવેશભાઇ ઠકકરે તમામ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમ સફળ બનાવવાઙ્ગ મૂળી પ્રખંડ વિ.હિ.પ.ના અધ્યક્ષ દિપકસિહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યુવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ દિપાવ્યો હતો.

(11:58 am IST)