Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચોટીલા-થાનગઢમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન

ચોટીલા : થાનગઢમાં ક્ષત્રિય સમાજે વાસુકી મંદિર સુધી બાઇક રેલી યોજેલ તેમજ સમૂહમાં શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે શસ્ત્ર પૂજા કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે સમાજના વિવિધ આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જયારે વિજયા દશમી પર્વ નિમિત્ત્।ે વિશ્વ હિન્દુ પરિષદ થાનગઢ ચોટીલા દ્વારા પણ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજેલ હતો આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મની પરંપરા મુજબ ધર્મની રક્ષા કાજે ભારત ભૂમિમાં શસ્ત્રનું મહત્વ ધર્મશાસ્ત્રોમાં જે ઉલ્લેખનીય વાતો છે તે યાદ કરવામાં આવેલ હતી અને હિન્દુ ધર્મ ની પરંપરા મુજબ પૂજન કરવામાં આવેલ ચોટીલા મુળાવાવ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો હતો જેમા હિન્દુ ધર્મ પ્રેમીઓએ શસ્ત્ર પૂજા કરી હતી. (તસ્વીર-અહેવાલ : હેમલ શાહ. ચોટીલા)

(12:00 pm IST)