Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં દબાણ દૂર કરાયું : તંત્ર દ્વારા 25 ઝૂંપડાઓ હટાવાયા

જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્ડમા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતુ અને અહીં 25થી 30 જેટલા ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે તે સ્થળે મામલતદારની ટીમ પહોંચી હતી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

જોકે પૂર્વે પણ અહીં મામલતદારની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. છતાં પણ વારંવાર ઝૂંપડ પટ્ટી બનાવી દેવામાં આવે છે. જેના કારણે આજરોજ ફરી મામલતદારની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

(1:02 pm IST)