Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જોડીયાના બાલંભા ઉદાસીન આશ્રમના મહંત સામે દુષ્કર્મની ફરીયાદ

હરીદાસબાપુએ ૬ ફેબ્રુઆરીએ દુષ્કર્મ આચર્યુ હોવાની મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૭ :. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભાના ઉદાસીન આશ્રમના મહંત હરીદાસબાપુ સામે  મહિલાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવ્યાની ચર્ચાથી ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાલંભાના ઉદાસીન આશ્રમના મહંત હરીદાસબાપુ સામે મહિલાએ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. જેમાં મહિલાએ જણાવ્યુ છે કે તા. ૬ ફેબ્રુઆરીએ મહંતે મારી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. મંદિરની સેવામાં હતા ત્યારે આ મહંતે ભરબપોરે આશ્રમમાં દુષ્કર્મ આચર્યુ હતું. જોડીયા પોલીસ સ્ટેશન સમક્ષ આ મહિલાએ ફરીયાદ કરી છે.

મહિલાની ફરીયાદના આધારે જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા ઉદાસીન
આશ્રમના મહંત હરીદાસબાપુ સામે ૩૭૬ (૧), ૫૦૬ (૨) સહિતની કલમ મુજબ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:16 pm IST)