Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જામનગરમાં દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગૌશાળાના ગોડાઉનમાં ગાયોને નાખવાની નીરણ માં આગ ભભૂકી ઉઠતા નાસભાગ : જાનહાનિ નથી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: જામનગર ફેસ ટુ પાસે આવેલ ગૌશાળામાં કોઈપણ કારણોસર આગ લાગતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગૌશાળાના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી ગાયોને નાખવાની નીરણ માં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.

 તાત્કાલિક આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે( તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

(2:25 pm IST)