Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જસદણના કાળાસર ગામે આંગણવાડી વર્કરના વિદાય સમારંભ સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૮: જસદણ તાલુકાના કાળાસર ગામે આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવતા કંચનબેન મનુભાઈ શીલુ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા સમસ્ત ગ્રામજનો દ્વારા કાળાસર પ્રાથમિક શાળા ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારંભની સાથોસાથ ગ્રામજનો દ્વારા રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ સ્વૈચ્છિક રકતદાન કરતા ૫૯ બોટલ રકત એકત્રિત થયું હતું. આ સમારંભના અધ્યક્ષપદે જસદણ પ્રાંત અધિકારી પી. જે. ગલચર રહ્યા હતા અને આ સમારંભનું દિપ પ્રાગટ્ય કાળાસર રામજી મંદિરના મહંત હરિદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘેલા સોમનાથ મંદિરના મહંત વિક્રમગીરી મહારાજ, જસદણ મામલતદાર પારસ વાંદા, જસદણ સંકલિત બાળ વિકાસ અધિકારી કુંદનબેન મકવાણા, જસદણના પીઆઈ કે.જે.રાણા, સામાજિક અગ્રણી અશોકભાઈ મહેતા, જસદણ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, યાર્ડના ડિરેકટર અશોકભાઈ ચાંવ, કમલેશભાઈ ચોલેરા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં જસદણ સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા કંચનબેન મનુભાઈ શીલુનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

(11:28 am IST)