Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સોલાર રૂફનો સર્વે કરતી વખતે રાજુલાના તુષાર ગવદાણીનું થાનમાં છાપરા પરથી પટકાતાં મોત

રાજકોટ તા. ૨૮: રાજુલાના વલ્લભનગર સમોખેતી વિસ્તારમાં રહેતો અને સોલાર કંપનીમાં કામ કરતો તુષારભાઇ પ્રવિણભાઇ ગવદાણી (ઉ.વ.૩૧) ગઇકાલે થાન ખાતે એક કંપનીના છાપરા ઉપર સોલાર રૂફ પેનલ ફીટીંગ માટેના સર્વેનું કામ કરતો હતો ત્યારે છાપરૂ તૂટતાં નીચે પટકાતાંં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યા હતું.

તુષારભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજતાં તાલુકા પોલીસને હોસ્પિટલ મારફત જાણ થતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તુષારભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. લગ્ન બાદ છૂટાછેડા થઇ ગયા હતાં. મુળ વતન રાજુલા વલ્લભનગર છે. તેના માતા પિતા હાલ સુરત રહે છે. બનાવને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

(11:39 am IST)