Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જૂનાગઢ ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિરે માં અંબાના પ્રાગટ્યોત્સવની સાદાઈથી ઉજવણી

જૂનાગઢઃ ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર ખાતે મંદિરના મહંત મોટા પીરબાવા પૂ. તનસુખગીરીબાપુ અને પૂ. ગણપતગીરીબાપુના સાનિધ્યમાં માં અંબાના પ્રાગટ્યોત્સવની સવારથી સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શ્રી સુકતના પાઠ, હોમહવન, અભિષેક, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરોકત તસ્વીરમાં માતાજીનુ પૂજન-અર્ચન કરતા પૂ. તનસુખગીરીબાપુ ગણપતગીરીબાપુ અને ઉપસ્થિત ભાવિકો નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:15 pm IST)