Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ધોરાજીના પીપરવાડી વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી વિતરણમાં સાપોલિયા નીકળતા આક્રોશ

ધોરાજી : ધોરાજી શહેરમાં પાણી વિતરણ ની કડાકૂટ જાણે કાયમી બની હોય તેવી દશા ચાલી રહી છે. ધોરાજી માં ચાર પાંચ દિવસે પાણી વિતરણ અને તેમાં પણ વિવિધ વિસ્તારોમાં ડહોળા પાણી ની સમસ્યા વારે વારે ઉઠતી રહે છે. ત્યારે હાલ માં પાલિકા દ્વારા થયેલ પાણી સપ્લાય માં પીપરવાડી વિસ્તારમાં રહેતા પીયૂષભાઈ સાકરીયા, ધીરુભાઈ પરમાર સહિતના રહીશોને ઘરે પાણી વિતરણમાં સાપોલિયા નીકળતા લોકોમાં આક્રોશ છવાયો હતો.
  આ મામલે પીપરવાડી વિસ્તારના ભાજપ ના સદસ્ય કિશોરભાઈ વઘાસિયાએ જણાવેલકે કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાણી વિતરણના ધાંધિયા રહે છે. ડહોલું પાણી વિતરણનું વિતરણ પણ એક સમસ્યા છે. જવાબદાર શાસકોએ સત્વરે ઘટતું કરવું જોઈએ.

(7:24 pm IST)