Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ખેતી કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા કાલાવાડના સોરઠા ગામે યુવાનનો આપઘાત

જામનગર, તા.૨૯: કાલાવડ તાલુકાના સોરઠા ગામે રહેતા અશ્વીનભાઈ વલ્લભભાઈ ઝરમરીયા, ઉ.વ.ર૬ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  પુનમબેન વલ્લભભાઈ ઝરમરીયા, ઉ.વ.ર૦, રે. સોરઠા ગામવાળાને તેની બેન શિલ્પા સાથે ખેતી કામ કરવા બાબતે બોલાચાલી થયેલ જે બાબતનું લાગી આવતા પોતાના હાથે દવા પી જતા કાલાવડ સરકારી હોસ્પિટલમાં લાવતા ત્યાં મૃત્યુ પામેલ છે.

ગોર્વધન એપાર્ટમેન્ટ માંથી જુગારનો અખાડો ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર સત્યમ કોલોની રોડ, ગોવર્ધન એપાર્ટમેન્ટ, ફલેટ નં. પ૦૪ માં આરોપી મીલનભાઈ ભરતભાઈ દોઢીયા એ પોતાના મકાને પરેશભાઈ વસંતભાઈ ઠકકર, અનવરભાઈ મામદભાઈ સપડીયા, યુનુસભાઈ હબીબભાઈ રાઠોડ, હસુભાઈ દેવચંદભાઈ સેજપાલ, કિંજલબેન મનુભાઈ માલદે, રે. જામનગરવાળા ને બોલાવી  નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી રેઈડ દરમયાન રોકડા રૂર૧,પ૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પરણિતાને દુઃખ

મહીલા પોલીસ સ્ટેશનમાં ઉર્વીબેન યશ દિપકભાઈ તન્ના એ ફરીયાદ નોંધાવી છે કે, પતિ– યશ દિપકભાઈ તન્ના, સાસુ– નિશાબેન દિપકભાઈ તન્ના, નણંદ– કિષ્ના દિપકભાઈ તન્ના, સસરા દિપકભાઈ મનસુખભાઈ તન્ના, રે. રાજકોટવાળા શારીરિક માનસીક દુઃખ ત્રાસ આપી તેમજ નાની નાની બાબતોમાં વાંક કાઢી ઝઘડો કરી ઘરકામ કાજ બાબતે તેમજ કરીયાવર બાબતે મેણાટોણા મારી ગાળો કાઢી ફરીયાદી ઉર્વીબેન પાસેથી કરીયાવરની માંગણી કરી  જાનથી મારી નાખવાની ધમકી આપી. એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:09 pm IST)