Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કેશુબાપાનું અવસાન થતા ગીર સોમનાથ જિલ્લો સ્‍વયંભુ બંધઃ ગીર સોમનાથ નવો જિલ્લો બનાવવામાં મહત્‍વની ભૂમિકા હતી

ગીર-સોમનાથઃ ભાજપના દિવંગત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થવાના પગલે સરકારે તો એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે, પરંતુ ગીર-સોમનાથ જિલ્લો પણ તેના શોકમાં સ્વયંભૂ બધ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે કેશુબાપા સોમનાથ મંદિરના પણ ટ્રસ્ટી હતી. તેમણે ટ્રસ્ટી તરીકે સોમનાથ મંદિરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય સરકારે ગીર-સોમનાથ જિલ્લો નવો બનાવ્યો તેના માટે પણ કેશુબાપાની ભૂમિકા મહત્ત્વની રહી હતી. સોમનાથ મંદિરને વિશ્વસ્તરનું બનાવવામાં અને તેની સગવડોનો વ્યાપ વિસ્તારવામાં કેશુબાપાની મહત્ત્વની ભૂમિકા રહી છે.

(5:00 pm IST)