Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

માળીયા મિંયાણાના લક્ષ્મીવાસ ગામે પાણીમાં ડૂબી જતા બે બાળકીના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩૦: માળીયાના લક્ષ્મીવાસ ગામ નજીક આવેલ પાજમાં નાહવા પડેલ બે બાળકીઓના ડુબી જવાથી મૃત્યુ નીપજયા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયાના વવાણીયા ગામ પાસે આવેલ લક્ષ્મીવાસ ગામના સિમ વિસ્તારમાં આવેલ પાજમાં પાણીમાં નાહવા પડેલ જાગૃતીબેન બહાદુરભાઇ ઠાકોર (ઉ.૧૩) અને જબુબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.૬) મૂળ બંને રહે.એમપી હાલ બંને રહે. લક્ષ્મીવાસ વવાણીયા વાળીના ડૂબી જવાથી મૃત્યુ નીપજયા હતા.પોલીસ પાસેથી માહિતી મળી હતીકે બાળકીના માતા-પિતા બાજુના ખેતરમાં મજૂરી કામ કરતા હતા અને બંને બાળકીઓ પાણીમાં નહાવા માટે પડી હતી જે દરમિયાન ડૂબી જવાથી બંનેના મૃત્યુ નીપજયા હતા.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લીલાપર રોડ પર ગાળો બોલવાની નાં પાડતા યુવાનને માર માર્યો

લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગૌશાળા નજીક રહેતા અફઝલશા હુશેનશા શાહમદાર (ઉ.૨૮) ના દ્યર પાસે આરોપી ભરત કાળુભાઈ ગોગરા, જીગર જીલુભાઈ ગોગરા, લાલો જીલુભાઈ ગોગરા અને અલતાફ અકબરભાઈ ગાળો બોલતા હોય જેથી ફરિયાદી અફઝલભાઈએ ગાળો બોલવાની નાં પાડતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ભરત ગોગરાએ લાકડાના ધોકા વડે પતિ-પત્નીને માર મારી આરોપી જીગર ગોગરાએ છરી વડે હાથમાં ઈજા કરી આરોપી લાલો ગોગરા અને અલ્તાફ અકબરભાઈએ મુંઢ માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

(11:16 am IST)