Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગિરનારની ટોચે બિરાજમાન જગત જનની માઁ અંબાજી મંદિરે નર્મદા તટ ચાણોદથી આવેલ મહાત્માએ માતાજીના સન્મુખ પગના અંગુઠા પર બેસી સાધના કરી

માતાજીને વંદન કરતા સંતની ભકતીથી ભાવિકો મંત્ર મુગ્ધ થયા: મહંત તંસુખ ગીરી બાપુએ સંતને રૂડા આશિર્વાદ સાથે સન્માનિત કર્યા

જૂનાગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી મંદિર ખાતે આજે પૂર્ણિમા પૂનમના પાવન દિને નર્મદા તટ ચાણોદથી આવેલા એક મહાત્માએ માતાજી સન્મુખ પગના અંગુઠા ઉપર સાધના કરી. માતાજીની સ્તુતિ સાથે સાધના કરી માતાજીને વંદન કરતા સંતની ભકતીથી ભાવિકો મંત્ર મુગ્ધ થયા હતા મંદિરના મહંત તંસુખ ગીરી બાપુએ સંતને રૂડા આશિર્વાદ સાથે સન્માનિત કર્યા હતા

(7:13 pm IST)