જામનગર- રાજકોટ હાઇવે પર આઇસર અને રિક્ષા વચ્ચેેે ગમખ્વાર અકસ્માત : ૧૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત : ૨ ગંભીર
જામનગર : જામનગર- રાજકોટ હાઇવે પર આજે બપોરે આઇસર અને રિક્ષા વચ્ચેેે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ૧૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગર-રાજકોટ હાઇવે પર જાંબુડા ના પાટીયા પાસે આજે બપોરે પોણા ત્રણ વાગ્યા આસપાસ લસણ ભરેલ આઇસર ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
હાઈવે પર ઇકો કાર આડી ઉતરતા આઇસર ચાલકે બ્રેક મારી હતી અને લસણ ભરેલ આઇસર અનબેલેન્સ થઈ જતા આ ગાડી રિક્ષા સાથે અથડાઇ હતી અનેેેે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦ થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ ની ટીમને જાણ કરાતા ત્રણથી ચાર 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘવાયેલ માંથી બેની હાલત અતિ ગંભીર ગણાવાઇ રહી છે. (અહેવાલ : મુકુંદ બદીયાણી તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)