અમરેલી જીલ્લામાં કોરોનાથી એક મોત : વધુ ૨૪ કેસ થયા
અમરેલી,તા. ૪: માસ્કની તકેદારી છતાંય સામાજીક કાર્યક્રમો અને બેદરકારીથી કોરોનાનાં કેસમાં વધારો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં પાછો ઉછાળો આવ્યો છે. અને શુક્રવારે ૨૪ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું હતું.
શુક્રવારે નવા ૨૪ કેસ સામે ૩૯ દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી અને હાલમાં ૧૭૪ દર્દી-ો સારવારમાં છે. જ્યારે કોરોનાનાં કુલ દર્દીની સંખ્યા ૩,૧૯૪ થઇ છે. અને કોરોના પોઝીટીવ એવા માલવીયા પીપરીયાનાં ૭૦ વર્ષના વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યું હતું. જ્યારે આરોપી હાજર મળી આવેલ નહીં. સાવરકુંડલા ફાટક મફત પ્લોટ પાસે દેશી દારૂ ૩ લી. આથો ૧૫૦ લી., ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૬૯૦નો મુદ્દામાલ કબ્જે કરેલ. જ્યારે રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવેલ નહીં. સાવરકુંડલા ફાટક મફત પ્લોટમાં નારૂ રૂડા પરમારના કબ્જામાંથી ૩ લી. દેશી દારૂ આથો ૧૫૦ લી. અને ભઠ્ઠીના સાધનો મળી રૂ. ૭૧૦નો મુદ્દામાલ કબ્જે કરેલ. જ્યારે આરોપી રેઇડ દરમિયાન હાજર મળી આવેલ નહીં. સાવરકુંડલા ચોકડી પાસે શ્રધ્ધાબેન મુનાભાઇ બ્લોચને દેશી દારૂ ૫ લી., આથો ૪૦ લી. અને ભઠ્ઠીના સાધનો મળી રૂ. ૫૫૦ /- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.