ખંભાળિયામાં ૭ સહિત દેવભુમી દ્વારકા જીલ્લામાં ૧૧ નવા પોઝીટીવ કેસ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૦ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં કોરોના કહેર હજુ યથાવત રહયો છે. ગઇકાલે દ્વારકામાં ચાર તથા ખંભાળિયામાં સાત સહિત ૧૧ નવા પોઝીટીવ કેસ સાથે કુલ આંક ૪૮૧એ પહોંચ્યો છે તથા પાંચસો ભણી હવે આંકડોજઇ રહયો છે.
દ્વારકામાં ચરકલા રોડ પર આહિર સમાજની વાડી પાસે રહેતા સતીશભાઇ ભટ્ટ, બરવાળામાં બુધાભાઇ વીકમા, નરસંગ ટેકરી દ્વારકામાં રહેતા લાલજીભાઇ ભટ્ટ, આહિર સિંહણ વાડી વિસ્તારમાં રહેતા જેઠાભાઇ લાલજીભાઇ નકુમ, જુની લોહાણા મહાજનવાડી પાસે રહેતા પ્રશાંતભાઇ મહેશભાઇ રાડીયા, ધીંગેશ્વર પાડો, દ્વારકામાં રહેતા ગીતાબેન વસંતભાઇ કણઝારીયા, લુહારશાળા ખંભાળિયામાં રહેતા હસમુખભાઇ જેસંગભાઇ કેર, પંચહાટડી ચોકમાં રહેતા જયેશ મથુરાદાસ, યોગેશ્વરનગર ખંભાળિયામાં રહેતા ચિતરંજન નરહરી સામાણી, નવી વાડી ખંભાળિયામાં રહેતા વસંત માવજીભાઇ તથા દક્ષાબેન દિપકભાઇ કેર લુહાર શાળા વાળાને કોરોનો પોઝીટીવ આવતા તેમને ખંભાળિયા હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.