પોરબંદર સલાટ સમાજના પ્રમુખ સહિત પ૧ આગેવાનો કોંગ્રેસનમાં જોડાયા : અર્જુનભાઇ મોઢવાડિયાની હાજરીમાં કોંગ્રેસને ખેસ પહેર્યો
પોરબંદર : નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની સંસથાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે તેવા સમયે પોરબંદર સમસ્ત સલાટ સમાજના પ્રમુખ જતીનભાઇ ચુનીભાઇ મોરબીયા સહિતના પ૧ જેટલા સામાજિક કાર્યકર્તાઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાતાં કોંગ્રેસ પરીવારમાં ખુશી વ્યાપી છે.
પોરબંદર શહેર અને છાંયામાં સારી અેવી વસ્તી ધરાવતા અને રાજકીય રીતે ખુબ અસરકારક સલાટ સમાજના પ્રમુખ જતીનભાઇ ચુનીભાઇ મોરબીયા, ઉપપ્રમુખ વિશાલભાઇ દિનેશભાઇ ડાભી, વિશ્વકર્મા યુવક મંડળના પ્રમુખ નિલેશભાઇ દેવેન્દ્ર મકવાણા તેમજ અગ્રણી કાર્યકરો સર્વશ્રી મનોજભાઇ મોરબીયા, રાજેશભાઇ ગોવિંદભાઇ મોરબીયા, મહેશ નરેન્દ્રભાઇ પરમાર, વિજય અમૃતલાલ ડાભી, કૈલાશ દેવેન્દ્રભાઇ મકવાણા, ધર્મેશ દીલીપભાઇ ડાભી, હેમેન્દ્ર રસીકભાઇ મોરબીયા સહિતના પ૧ જેટલા સલાટ સમાજના સક્રિય કાર્યકરો અને સામાજિક અગ્રણીઓઅે કોંગ્રેસ પક્ષની વિચારધારામાં વિશ્વાસ વ્યકત કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સામતભાઇ ઓડેદરાના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં વિધિવત જોડાતાં કોંગ્રેસના પરિવારમાં ખુશીની લાગણી વ્યાણી છે.
સલાટ સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓના કોંગ્રેસ પ્રવેશના આ કાર્યક્રમમાં અર્જુનભાઇ મોઢવાડિયાની સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન સામતભાઇ ઓડેદરા, છાંયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ આગેવાન સુરેશભાઇ થાનકી, નગરપાલિકાના પૂર્વ સદસ્ય વિરેન્દ્રભાઇ શિયાળ, કોંગ્રેસ અગ્રણીઓ સર્વેશ્રી નરેન્દ્રભાઇ શિયાળ, વનરાજભાઇ કેશવાલા અને મેરૂભાઇ સિંઘલ ઉપસ્થિત રહ્યા હતા.