કેશોદના કરેણી ગામે ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાંથી રૂ. ૧.૨૮ લાખની મત્તાની ચોરી
જૂનાગઢમાં ગોડાઉનમાંથી રૂ. ૯૮ હજારના મુદ્દામાલનો હાથફેરો
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. કેશોદ તાલુકાના કરેણી ગામે વાડીએ રહેતા ભનુભાઈ મોહનભાઈ દેવધરીયાનું મકાન બપોરના ૧૨.૩૦થી ૩.૩૦ સુધી બંધ હતું. ત્યારે ઘરના દરવાજાના તાળા તોડી તસ્કરો કબાટનો દરવાજો વાળી તેમાંથી સોનાના બે ચેઈન, મંગળસૂત્ર તથા રૂ. ૪૦૦૦ની રોકડ સહિત કુલ રૂ. ૧,૨૮,૫૦૦ની કિંમતની માલમત્તા ચોરીને નાસી ગયા હતા. આ અંગે ફરીયાદ નોંધી કેશોદના પી.એસ.આઈ. એમ.સી. ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.
ગોડાઉનમાંથી હાથફેરો
જૂનાગઢમાં ગિરીરાજ રોડ વિસ્તારમાં આવેલ મુકેશભાઈ વાલજીભાઈ માથુકીયા ગોડાઉનની બારી તોડી એરકુલરની મોટર તથા સર્કિટ વગેરે મળી કુલ રૂ. ૯૮૦૫૨ના ઈલેકટ્રીક સામાનની ચોરી થયાની ફરીયાદ થતા બી-ડિવીઝનના પી.એસ.આઈ. એ.કે. પરમારે તપાસ હાથ ધરી છે.
ખેતરમાં ખાતર
વિસાવદરના જેતલવડના ભાવેશ નાનજીભાઈ ભાલાળાના ખેતરમાંથી તસ્કરો ઝટકા મશીન, બેટરી અને સોલાર પ્લેટ વિગેરે રૂ. ૧૨ હજારનો મુદામાલ તસ્કરો ચોરી ગયા હોવાની પોલીસમા ફરીયાદ થઈ છે.