માંગરોળના બંદરમાં નવી જેટી નજીક આગ ભભૂકી ત્રણ બોટ બળીને ખાખ: બે બોટમાં ભારે નુકસાન
પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમાં મુકેલી બોટોમાં અચાનક આગ લાગી : ચોરવાડ, કેશોદ અને વેરાવળથી ફાયર ફાઇટર બોલાવાયા
માંગરોળના નવી જેટી નજીક અચાનક આગ ભભૂકી ઉઠતા ૩ બોટ બળીને ખાખ થઇ જતા લાખોનું નુકસાન થયું છે. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમાં મુકેલી બોટોમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું. છે. આગમાં 3 બટ બળીને ખાખ થઇ ગઈ હતી. જ્યારે 2 બીટમાં વ્યાપક નુકસાન થયું છે. આગના ધુમા ળા દૂરથ નજરે ચડયા હતા
. ઘટનાના પગલે પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતા ખારવા સમાજના અગ્રણી વેલજી મસાણી,પાલીકા પ્રમુખ મ.હુસેન ઝાલા સહિતના આગેવાન અને DySP પુરોહિત સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ એટલી વિકરાટ હતી કે ચોરવાડ, કેશોદ અને વેરાવળથી ફાયર ફાઇટર બોલાવામાં આવ્યા હતા. આગ કોલ્ડ રૂમમાં આવેલા થર્મોકોલના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે