સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

ધોરાજી : કારખાનાના છાપરા પરથી પડી જતા યુવકનું કરૂણ મૃત્યુ

મૃતક યુવાનના બે પુત્રો ૩ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

(ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. ૧૬ : જુનાગઢ રોડ પર આવેલ કશ્યપ પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા સુરેશભાઇ મનસુખભાઇ મકવાણા ઉ.૩પ વાળો કારખાનામાં કામ કરતો હતો એ દરમ્યાન વરસાદી વાતાવરણમાં કારખાનાના પતરા પરથી લપટીને નીચે પડતા કારખાના માલીકે તાત્કાલીક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવાતા ફરજ પરના ડોકટરએ સુરેશભાઇ મકવાણાને મૃત જાહેર કરેલ હતા.

મળતી માહિતી મુજબ મરણજનાર સુરેશભાઇ મકવાણા બે ભાઇઓ હતાં અને પોતે મોટા હતાં. મરણજનારને ૩ પુત્રીઓ અને ર પુત્રોને વિલાપ કરતા છોડી ગયેલ છે. આ બનાવ અંગે બીટ જમાદાર પ્રદીપભાઇ બારોટ તપાસ ચલાવી રહેલ છે.

(12:57 pm IST)