સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જામકંડોરણા પોલીસ વિરૂદ્ધ ખોટી રજુઆતો અંગે ન્યાયિક તપાસની માંગ કરતુ રાજપૂત સંગઠન

રાજકોટઃ જામકંડોરણાના પોલીસ અધિકારી અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા માનવભાઇ લુણાગરિયાને માર મારવામાં આવેલ તેવી ખોટી રજુઆતો થયાના આક્ષેપો સાથેનુ આવેદનપત્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠને કલેકટરને આપી આ પ્રકરણમાં ન્યાયિક તપાસની માંગ ઉઠાવી છે આવેદનપત્રમાં જણાવ્યંુ છે જામકંડોરણા પોલીસે કાયદાનું કડક પાલન શરૂ કરાવતા ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા લોકો પોલીસ વિરૂદ્ધ ખોટી અરજી કરી મોરલ તોડવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં યોગ્ય અને ન્યાયી તપાસ કરાવવા આવેદનપત્રમાં માંગ ઉઠાવી છે.

(2:39 pm IST)