ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આવેદન અપાયું
(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૬ : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંગે હળવદમાં કાર્યકર્તાઓએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તે બાબતે ઘણી જગ્યાએ ઉગ્ર માંગ ઉઠી રહી છે. જો ભાવનગરના સ્વ. કૃષ્ણકુમારસિંહજી બ્રાઝિલને એક નંદી ભેટ આપે અને બ્રાઝિલની ઈકોનોમિક બદલી જતી હોય તો દેશ ગૌમાતાથી આર્થિક, આરોગ્ય વગેરેમાં સમૃદ્ઘ બની શકે છે. અને એટલે જ પ્રાચીન કાળથી ગાયને માતા કહેવામાં આવે છે. આથી, રાષ્ટ્રના ઉજળા ભવિષ્ય માટે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો જોઈએ. આ સાથે નીચે મુજબની માંગ કરવામાં આવી છે. સરકાર આ માંગ વહેલી તકે પૂરી કરે એવી અરજ છે, નહીંતર લોકમત મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની સરકારએ નોંધ લેવા અપીલ કરી છે. રાજકોટના અર્જુનભાઇ આંબલિયા પ્રેરિત ગૌ માતા રાષ્ટ્ર માતા અભિયાન હેઠળ આ આવેદનપત્ર અપાયું હતું.