સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

કેશોદ નગરપાલિકાના સાતથી વધુ કર્મચારીઓ કોરોનાથી થયા સંક્રમિત

20 જેટલા પાલિકા કર્મચારીઓએ કરી કામગીરી બંધ કરી દીધી

જૂનાગઢની કેશોદ નગરપાલિકા કર્મચારીઓએ કચેરીની કામગીરી કરી બંધ કરી છે. 20 જેટલા નગરપાલિકા કર્મચારીઓએ કરી કામગીરી બંધ કરી દીધી છે.
  કોરોનાના વધતા સંક્રમણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાના સાતથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. અગાઉ પણ નાયબ કલેકટરને રજૂઆત કરાઈ હતી. નાયબ કલેકટરને ફરીથી રજુઆત કરવામાં આવી છે. અન્ય કર્મચારીઓને કામગીરી સોંપવાની માંગ કરાઈ છે.અન્ય કર્મચારીઓને કામગીરી નહી સોંપાઈ ત્યાં સુધી ઓફિસ કામગીરી બંધ રહેશે.

(1:40 pm IST)