સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ ના ૮ સાગરીતોના ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે બુદ્ધિપૂર્વક જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલા લોકોનો ઉપયોગ કરીને ગુનાખોરી આચરી : વકીલ - કોર્પોરેટર - જેલમાંથી છૂટેલા આરોપીઓ - અખબારના મેનેજર સહિત નો ઉપયોગ કર્યો : રાજકોટ કોર્ટમાં જામનગરના આરોપીઓ રિમાન્ડ માટે રજૂ

રાજકોટ::: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ ના ૮  સાગરીતોના ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ રાજકોટ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

        જેમાં નિલેશભાઈ મનસુખભાઈ ટોલિયા , પ્રફુલભાઈ જેંતીલાલ પોપટ , અતુલભાઇ  વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરસોતમ ભાઈ ચોવટીયા , અનિલભાઈ મનજીભાઈ પરમારના ૧૨ દિવસનાા રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

     જ્યારે મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા , જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયાના ૯  દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

             જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશનર નિતેશ પાંડેએ રાજકોટ પ્રિન્સિપાલ એન્ડ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટશ્રી , સ્પેશિયલ સેશન્સ કોર્ટ સમક્ષ જે આરોપીઓના નામ રજૂ કરવામાં આવ્યા છે તેમાં જયસુખભાઇ મૂળજીભાઈ રાણપરીયા ( જયેશ પટેલ) , નિલેશભાઈ મનસુખભાઈ ટોલિયા , પ્રફુલભાઈ જેંતીલાલ પોપટ , અતુલભાઇ  વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરસોતમ ભાઈ ચોવટીયા , અનિલભાઈ મનજીભાઈ પરમાર , મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા , જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયા , યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા , રમેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ) , સુનિલભાઈ ગોકલદાસ ચાંગાણી અને વસંતભાઈ લીલાધરભાઇ માનસાતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી ૨૦ દિવસના રિમાન્ડ મંજુર કરવા માંગણી કરી છે. જેની સામે કોર્ટે ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

        આ પ્રકરણમાં જયેશ પટેલે બનાવટી નોટિસો પ્રસિદ્ધ કરાવવા માટે વકીલ વસંતભાઈ માનસાતા , ધમકાવવા માટે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વશરામભાઈ મિયાત્રા , વર્તમાન પત્ર ચલાવવા અને નાણાકીય ઉઘરાણી માટે નવાનગર ટાઈમ્સ ના મેનેજર પ્રવીણભાઈ ચોવટીયા , મારકૂટ તથા બળજબરી પૂર્વક લોકો પાસેથી વસ્તુ પડાવી લેવા માટે યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા , નાણાંનુ અન્ય રોકાણ કરવા માટે બિલ્ડર રમેશભાઈ તથા મુકેશભાઈ અભંગી , મોટી રકમોના સોદાઓના સેટલમેન્ટ માટે સમાજના આગેવાન અને બિલ્ડર નિલેશભાઈ ટોલિયા , બારોબાર હોવાનો પાડી શકાય તે માટે સુનિલ ચાંગાણી , હવાલા કૌભાંડ આચરી શકાય તે માટે અનિલ પરમાર સહિત નો ઉપયોગ કરવામાં આવ્યો છે ્

     જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે બુદ્ધિપૂર્વક જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલા લોકોનો ઉપયોગ કરીને ગુનાખોરી આચરી છે. જેમાં  વકીલ - કોર્પોરેટર - જેલમાંથી છૂટેલા આરોપીઓ - અખબારના મેનેજર સહિત નો ઉપયોગ કર્યો  હોવાનું ખૂલ્યું છે રાજકોટ કોર્ટમાં જામનગરના આરોપીઓ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે.

          જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશનર નિતેશ પાંડે એ પ્રિન્સિપાલ એન્ડ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટશ્રી , સ્પેશિયલ સેશન્સ કોર્ટ રાજકોટ સમક્ષ જયસુખ મૂળજીભાઈ રાણપરીયા (જયેશ  પટેલ) પ્રકરણમાં જુદા જુદા વિભાગમા કાર્યરત જયેશ પટેલ ના૧૪ જેટલા સાગરિતો - આરોપીઓ સામે ગુનો દાખલ કરીને રિમાન્ડ આપવા માંગણી કરી છે.

            રિમાન્ડ માટે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જયેશ પટેલ પોતે સુવ્યવસ્થિત રીતે પોતાનું ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ચલાવી શકવામા મદદરૂપ ભૂમિકા અદા કરી શકે અને કોઈ પણ મુશ્કેલીઓનો સરળતાથી રસ્તો કાઢી શકાય તેમજ સમાજમાં ભાડૂતી ગુંડાઓ મારફતે ફાયરિંગ કરાવી ડર ઉભો કરાવી પોતે ડોન હોવાની છાપ પ્રસ્થાપિત કરવા માંગતા હોવાનું જણાવ્યું છે.

        ચર્ચાતી વિગતો મુજબ જામનગરના ધારાશાસ્ત્રી કિરીટભાઈ જોશીની હત્યાના બનાવમાં "આરોપીઓ વતી જામનગરના કોઈપણ વકીલોએ ઉભુ રહેવું નહીં "તેવો ઠરાવ જામનગર વકીલ મંડળે કર્યો હતો.

      પરંતુ વસંતભાઈ માનસાતા આમ છતાં પણ આરોપી તરફે ઉભા રહ્યા હતા જેથી જામનગર બાર એસોસિએશને તેમને સભ્ય પદેથી દૂર કર્યા હતા.

 

(7:21 pm IST)