સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

ભાવનગરના કોળીયાકના દરિયામાં અસ્થિ વિસર્જન કરવા આવેલ એક જ પરિવારના ત્રણના ડૂબી જવાથી કરૂણમોત

બાવળાના નાયક પરિવારના લાભુભાઈ, તેનો પુત્ર અને પુત્રીનું ડૂબી જવાથી મોત

ભાવનગરના કોળીયાકના દરિયામાં અસ્થિ વિસર્જન કરવા આવેલ એક જ પરિવારના ત્રણના ડૂબી જવાથી કરૂણમોત  નિપજ્યા છે

 આ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના કોળીયાકના દરિયામાં અસ્થિ વિસર્જન કરવા આવેલબાવળાના લાભુભાઈ નાયક, તેના 13 વર્ષના પુત્ર જયેશ  અને 17 વર્ષની પૂત્રી સરોજ નું દરિયાના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા

 તરવૈયાઓએ દરિયાના પાણીમાંથી ત્રણેયને બહાર કાઢ્યા હતા મૃતક લાભુભાઈ નાયક અસ્થિ વિસર્જન માટે બાવાળાથી કોળિયાક નિષ્કલંક દરિયામમાં આવ્યા હતા નહતી વખતે પાણીમાં ડૂબી ગયા હતા એક પછી એક ત્રણેયના ડૂબી જતા મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી

  દરિયામાં આજે ભારે કરંટ હોવાથી લાભુભાઈ અને તેના બે સંતાનો ડૂબવા લાગતા અને બુમાબુમ મચાવતા લોકોના ટોળા દરિયા કિનારે દોડી ગયા હતા પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા છે

(7:57 pm IST)