સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

જુનાગઢના ૪ પીએસઆઇની બદલી ક્રાઇમ બ્રાંચના ગોહિલ એટીએસમાં મુકાયા

પોરબંદરથી હરૂભા ચુડાસમા સહિત ૩ પીએસઆઇ આવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧ : જુનાગઢના ૪ પીએસઆઇની બદલી થઇ છે જેમાં ક્રાઇમ બ્રાંચના ગોહિલને એટીએસમાં મુકવામાં આવેલ છે.

 

રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજયના ૧૩૦ જેટલા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની સામુહિક બદલીનાં હુકમ જારી કર્યા છે.

જેમાં જુનાગઢ જિલ્લાના ચાર ફોજદારનો પણ સમાવેશ થાય છે. જુનાગઢ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. ગોહીલ રાજદિપસિંહ ખુમાનસિંહને એટીએસ અમદાવાદ ખાતે મુકવામાં આવેલ છે.

તેમજ પી.એસ.આઇ. રાણા કિંજલકુમાર ચંદુભાઇની રાજકોટ સીટીમાં, જુનાગઢ પીટીએસના સોલંકી રવિન્દ્રસિંહ અનિરૂદ્ધસિંહની ભાવનગર અને માલમ શશીકાંત કાળાભાઇની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે.

આ ચાર પીએસઆઇની બદલી સામે જુનાગઢ જિલ્લામાં ત્રણ પીએસઆઇને મુકવામાં આવેલ છે.

જેમાં ભરૂચની બેલીમ રસુલખાન અલીખાન તથા મહેસાણથી સોનારા શાંતાબેન નાથાભાઇ અને પોરબંદરથી ચુડાસમા હરવિજયસિંહ હરૂભાઇ નટવરસિંહને જુનાગઢ જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

બદલી પામેલા પીએસઆઇ ટુંક સમયમાં ચાર્જ છોડી નવા સ્થળે હાજર થશે અને નવા આવેલા ફોજદારો એક-બે દિવસમાં જુનાગઢ ખાતે હાજર થઇને ફરજના શ્રી ગણેશ કરશે.

(1:29 pm IST)