સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st October 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કાલે સોમનાથ મહાદેવ શિશ ઝુકાવી જન્મદિનની ઉજવણી કરશે

ભોળાનાથના સાનિધ્યમાં આયુષ્ય મંત્ર જાપ ત્થા મહાપૂજા કરશે

અમદાવાદઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો આવતીકાલે જન્મદિવસ છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં આવીતકાલે વિશેષ પૂજા થશે. અમિતભાઇ શાહના જન્મદિન નિમિતે આવતીકાલે સોમનાથ મહાદેવમાં આયુષ્ય મત્ર જાપ અને મહાપૂજા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે અને ટ્રસ્ટ દ્વારા આ પૂજા પ્રતિ વર્ષ કરવામાં આવે છે.

(5:48 pm IST)