સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd October 2020

સ્મૃતિ ઇરાનીની કાલે મોરબીમાં જાહેરસભા

બપોર બાદ લીંબડી-ગઢડા અને રાત્રે કરજણમાં ભાજપની સભા સંબોધશે

રાજકોટ તા. રર : શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની સંયુકત યાદીમાં જણાવેલ છે કે આગામી તા.૩ ના મોરબી ખાતે વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણીલક્ષી કામગીરીનો પુરજોશમાં પ્રારંભ થયો છે.

આવતીકાલે તા.ર૩ ના કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાની સવારે ૧૦ કલાકે જાહેર સભા સંબોધશે કાલે સવારે ૮ કલાકે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે. ત્યર બાદ સવારે ૧૦ કલાકે મોરબી ખાતે જાહેર સભા સંબોધશે. બપોરે ૧-૧પ કલાકે લીંબડી ખાતે વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત બેઠકમાં ઉપસ્થિત રહેશેે. ત્યારબાદ બપોરે ૪-૩૦ કલાકે પીટીસી કોલેજ, બોટાદ રોડ, ગઢડા ખાતે જાહેર સભા સંબોધશે. ત્યારબાદ રાત્રે ૮ કલાકે કરજણ ખાતે જાહેર સભા સંબોધશે અને ત્યારબાદ રાત્રી ૧૧ કલાકે વડોદરા એરપર્ટ ખાતેથી દિલ્હી જવા રવાના થશે.

મોરબી ખાતે વિધાનસભાની પેટાચુંટણીમાં પ્રચાર-પ્રસાર કાર્યને વેગવંતુ બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ કલમેશ મિરાણીની આગેવાનીમાં શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યકતાઓને વોર્ડવાઇઝ જવાબદારીની સોપણી કરવામાં આવેલ છે રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અને મેયર બીનાબેન આચાર્ય પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નયનાબેન પેઢડીયાની આગેવાનીમાં શહેર ભાજપ મહીલા મોરચાના વોર્ડ નં.૧૦ થી ૧૮ ના કાર્યકર્તા બહેનો આવતીકાલે તા.ર૩/૧૦/ર૦ર૦ ના રોજથી મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાનીની જાહેરસભામાં ઉપસ્થિત રહેશે.

તમજ ડોર-ટૂ-ડોર લોકસંપર્ક, પ્રચાર-પ્રસાર કામગીરીને વેગવંતી બનાવશે તેમ અંતમા શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયાની યાદીમાં જાવેલ હતું.

(4:01 pm IST)