સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd November 2020

કચ્છમાં કોરોનાનો કહેર : વધુ 31 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 3112 થયો

ભુજ-ગાંધીધામમાં જ 11-11 કેસ મળી કુલ 22 કેસ નોંધાયાં: નખત્રાણા તાલુકામાં 4 કેસ

ભુજઃ કચ્છમાં કોરોનાના આજે વધુ 31 કેસ પોઝીટીવ કેસ નોંધાયાં છે. જેમાંથી ભુજ-ગાંધીધામમાં જ 11-11 કેસ મળી કુલ 22 કેસ નોંધાયાં છે. તંત્રએ જારી કરેલી પ્રેસનોટમાં જણાવ્યા મુજબ આજે નોંધાયેલાં 31 કેસ પૈકી ભુજ શહેરમાં 8 અને તાલુકામાં 3 મળી 11 કેસ નોંધાયાં છે. ગાંધીધામ શહેરમાં 10 અને તાલુકામાં 1 મળી 11 કેસ નોંધાયાં છે. નખત્રાણા તાલુકામાં 4 કેસ નોંધાયાં છે. અંજાર અને ભચાઉ શહેર તેમજ માંડવી, મુંદરા અને રાપર તાલુકામાં એક-એક કેસ નોંધાયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લે બરાબર 37 દિવસ અગાઉ 15 ઓક્ટોબરે 31 પોઝીટીવ કેસ નોંધાયાં હતા. તેના સવા મહિના બાદ છેલ્લાં બે દિવસથી તેટલી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યાં છે. નવા 31 કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ કેસનો આંકડો 3100ને પાર કરી 3112 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 222 એક્ટિવ પોઝીટીવ કેસ છે. 2773 સાજા થઈ ચૂક્યાં છે

(10:04 pm IST)