રાજુલાના અકિલાના પત્રકાર શિવકુમાર રાજગોરનું અવસાન : સાંજે અંતિમવિધિ
રાજુલા : અમરેલી જિલ્લાના રાજુલા નિવાસીઅકિલાના વરિષ્ઠ પત્રકાર, રાજુલા જાફરાબાદ પ્રેસ કલબના પ્રમુખ શ્રી શિવકુમાર હરિશંકરભાઇ રાજગોર (ઉ.વ. ૬૧) તેં સ્વ. હરિશંકરભાઈ લક્ષ્મણભાઈ રાજગોર (દોલતી વાળા ) અને હાલ રાજુલા નીવાસીના પુત્ર શ્રી લતાબેન મનસુખભાઈ મહેતા (બેબબેન) સ્વ. કાળુભાઈ રાજગોર શ્રી મધુબેન અશોકભાઈ મહેતા શ્રી જીતેન્દ્રભાઈ રાજગોરના નાના ભાઈ સ્વ. ધીરૂભાઈ રાજગોરના મોટા ભાઈ તથા, પીઢ પત્રકાર ભાનુભાઈ રાજગોર, દોલુભાઈ રાજગોર, પ્રતાપભાઈ રાજગોર તથા કનુભાઈ રાજગોર ના નાના પિતરાઈ ભાઈ થાય તેમજ તેમજના જહાનવિબેનના પિતા થાય. તેમજ (ભડલી વાળા ) અને હાલ રાજકોટ નીવાસી ગૌરીશંકર જીવરામભાઈ મહેતાના જમાઈનુ આજરોજ તા. ૨૩ના સવારે ૬ કલાકે અવસાન થયેલ છે.
સદગતની અંતિમયાત્રા તા. ૨૩.૦૧.૨૦૨૧ના રોજ સાંજે ૦૪ કલાકે તેમના કાનજી બાપા નગરના નીવાસ સ્થાનેથી રાખેલ છે.