સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ધોરાજી પંથકમાં બે સિંહોના આગમન થતાં ખેડૂતોમાં ફફડાટ

ધોરાજીના તોરણીયા પંથકમાં છેલ્લા આઠ દિવસથી બે સિંહોના ધામાથી ચિંતા પ્રસરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ર૩ :  ધોરાજીના તોરણીયા ગામની સીમમાં છેલ્લા આઠ દિવસથી બે સિંહોના ધામા રાજકોટ શહેર અને જિલ્લામાં સિંહોનું સફારી પાર્ક બની ગયું હોય તે પ્રકારે સિંહ રાજકોટ જિલ્લામાં ફરી રહ્યા છે.

વન વિભાગ માત્ર પેટ્રોલિંગ કરીને પોતાની ફરજ પૂરી કરે છે પરંતુ આમ જનતામાં ફફડાટ છવાયો છે.

ધોરાજી તાલુકાના તોરણીયા સીમ વિસ્તારમાં વહેલી સવારે ખેતરમાં બે કુતરા નુ મારણ કર્યું હતું

આ વિસ્તારના ખેડૂતો કાંતિભાઈ હિરપરા જણાવેલ કે છેલ્લા આઠ દિવસથી તોરણીયા પંથકમાં સિંહ ના ફેરા છે અગાઉ એક પશુનું મારણ કર્યું છે અને આજે બે પુત્રોને મારી નાંખ્યા છે પરંતુ ફોરેસ્ટ વિભાગે માત્ર આટા ફેરા કર્યા સિંહને પકડવા બાબતે કોઈ કાર્યવાહી કરી નથી વનવિભાગના કર્મચારી ને પૂછતા તેઓએ જણાવેલ કે સિહો એમની મેળે જ જતા રહેશે એવું વનવિભાગના કર્મચારીઓ એ જણાવેલ હતું. ખેતરોમાં સિંહના સગડ જોવા મળેલ છે.

દિવસના સિંહ ખેતરોમાં મકાઈ ની અંદર સંતાઈ બેઠા હોય છે પરંતુ રાત્રિના અને વહેલી સવારના ખેતરોમાં બહાર જોવા મળે છે. વનવિભાગે સિંહને પકડવા બાબતે કોઈ જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા નથી તેઓએ જણાવેલ કે જે જગ્યાએથી આવ્યા છે એ જગ્યાએ ફરી જતા રહેવાના હોય છે પરંતુ ખેડૂતો રાત્રિના સમયમાં જ વીજ પુરવઠો મળતો હોય ત્યારે રસ્તામાં ખેડૂતો રાત્રિના સમયે નીકળતા હોય અથવા તો વાડીમાં ખેતરોમાં હોય આવા સમયમાં જોશીની આવી જાય તો ખેડૂતોની હાલત શું થાય તે પ્રશ્નો ઊભો થયો છે.

(1:03 pm IST)