જામનગરમાં પ્રધાનમંત્રીના જન્મદિવસે રકતદાન કેમ્પ સંપન્ન
(મુકુંદ બદિયાણી) જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦ માં જન્મદિવસ પ્રસંગે ભારતીય જનતા પક્ષ દ્વારા 'સેવા સપ્તાહ'ની વિવિધ સેવાકાર્યો કરીને ઉજવણી અંતર્ગત રકતદાન શિબરનું આયોજન કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલ રકત જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી હકુભા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મહામંત્રી ડો. વિરમભાઇ કગથરા, પ્રકાશભાઇ બાંભણીયા તથા શહેરના પ્રથમ નાગરિક હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોશી, ડે.મેયર કરશનભાઇ કરમુર, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી તથા યુવા મોરચાના પ્રમુખ મનીષભાઇ કટારીયા, મહામંત્રી દિલીપસિંહ જાડેજા અને મહેશભાઇ વિરાણી તથા યુવા મોરચા ટીમના દીપક શ્રીમાળી, વિરલ બારડ, લખન ડાંગર, દુષ્યંત સોલંકી, મનીષ પંડિત, નિલેશ ગોહિલ તથા દ્વારકા જિલ્લાના પ્રભારીશ્રી વિજયસિંહ જેઠવા, સહ પ્રભારી શ્રી જીતેશભાઇ શિંગાળા તથા શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરશ્રીઓ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ ભાવેશ ઠુંમર, સહ ઇન્ચાર્જ તરીકે શહેર યુવા ભાજપના મંત્રી મોહિત મંગી અને શહેર યુવા ભાજપ મંત્રી ચંદ્રસિંહ વાળાએ જવાબદારી નિભાવેલ હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ કિંજલ કારસરીયા. જામનગર)