સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

મોટીપાનેલી : બે દિવસથી લાપતા આધેડ ખોજા વેપારીની લાશ ડેમમાંથી મળી

માનસિક બીમારીથી ત્રસ્ત હોવાનું પ્રાથમિક તારણ

મોટી પાનેલી,તા. ૨૪: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં બે દિવસ થી લાપતા ઇસ્માઇલી ખોજા વેપારીની લાશ ફુલઝર ડેમમાં થી મળી આવેલ.  બનાવની જાણ થતા ઉપ સરપંચ બધાભાઇ ભારાઈએ પોલીસને હકીકત જણાવતા પાનેલી આઉટ પોસ્ટ જમાદારે લાશને પોસ્ટમોર્ટમ માટે ભાયાવદર સરકારી હોસ્પિટલ ખાતે રવાના કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે ગત સોમવારનાં રોજ બપોરના સાડાચાર વાગ્યાં ના આસપાસ મૃતક વેપારી મનસુરભાઈ ગુલામહુસેન લાખાણી (ઉંવર્ષ ૬૨) ઘરેથી કોઈને કહ્યા વિનાજ નીકળી ગયા હતા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને જતા રહેતા પરિવારના સભ્યો ભારે ચિંતિત થઈને શોધખોળ ચાલુ કરેલ ભાયાવદર પોલીસમાં પણ રિપોર્ટ દર્જ કરાવેલ તળાવ રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનના સીસીટીવી ફૂટેજમાં મૃતક સાંજના સવાપાંચ વાગ્યે ડેમના રસ્તે જતા જોવા મળતા ડેમ તરફ શોધખોળ ચાલુ કરતા બે દિવસ બાદ બુધવારે બપોરે એક વાગ્યાના સુમારે મૃતકની લાશ ડેમની કાચી પાળ પાસેથી મળી આવેલ.મૃતક માનસિક બીમારીથી તંગ હોય અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યાનું પ્રાથમિક તારણ મળી આવે છે કે પછી કોઈ અકસ્માતે બનાવ બન્યો સાચી હકીકત પીએમ રિપોર્ટ બાદ સામે આવી શકે છે. જમાદાર મનસુખભાઇ ચલાવી રહ્યા છે.

(2:23 pm IST)