સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

સણોસરાના સંજયએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો, ભગાડી ગયો ને પાછી મુકી ગયો

કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરીઃ એક વર્ષ પહેલા ઢગાના છૂટાછેડા થઇ ગયા છેઃ રક્ષામાં બેસાડી ચોટીલા તરફ લઇ ગયો'તોઃ લગ્નની લાલચ આપી દૂષ્કર્મ

રાજકોટ તા. ૨૪: દૂષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. કુવાડવા તાબેના સણોસરામાં રહેતાં સંજય વિનુભાઇ કોળી (ઉ.વ.૨૨) નામના શખ્સે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી  એક ઘરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો અને તેના બે દિવસ બાદ તેણીને રિક્ષામાં બેસાડી ભગાડી ગયો હતો. એ પછી બાળાને પેટમાં દુઃખાવો ઉપડતાં ઘરે મુકી ભાગી ગયો હતો. કુવાડવા પોલીસે તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

સંજય વિરૂધ્ધ પોલીસે ભોગ બનનારા સગીરાના પિતાની ફરિયાદ પરથી આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) જે, ૩૭૬ (૩) તથા પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં આરોપ મુકાયો છે કે ફરિયાદીની સગીર દિકરીને સંજય ૧૯/૧૧ના બે દિવસ પહેલા વહેલી સવારે ચારેક વાગ્યે ભગાડી ગયો હતો. દિકરીની શોધખોળ આદરતાં બીજા દિવસે તે બાળાને પાછી મુકી ભાગી ગયો હતો.એ પછી બાળાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતાએ પુછતાછ કરતાં તેણીએ કહ્યું હતું કે પોતાને ૧૯મીએ સંજય કોળી રિક્ષામાં ભગાડી ગયો હતો અને ચોટીલા તરફ લઇ ગયો હતો. એ પહેલા એટલે કે ૧૯મીના બે દિવસ પહેલા પોતાને લગ્નની લાલચ આપી એક ઘરમાં લઇ જઇ પોતાની સાથે દૂધકર્મ આચર્યુ હતું.

પીઆઇ એમ. સી. વાળા, હિતેષભાઇ ગઢવી સહિતે ગુનો નોંધ્યો છે. સંજયના એક વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા છે. એ પછી તેણે બાળાને મોહજાળમાં ફસાવી હતી. સંજય ઝડપાયા બાદ પોલીસ વિશેષ તપાસ કરશે.

(11:46 am IST)