સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th October 2020

કચ્છમાં ફરી આજે ધરાધ્રુજી: અનેક વિસ્‍તારો ૩.૬ ની તીવ્રતાએ ધ્રુજી ઉઠ્યા : કેન્‍દ્રબિંદુ અંજારથી ૧ર કિ.મી. દૂર હોવાનું અનુમાન

કચ્છ: કચ્છની ધરા ફરી એકવાર આજે ધ્રુજી હતી. કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં સવારે 8 વાગ્યેને 18 મિનિટે આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેંદ્રબિંદુ અંજારથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

(3:37 pm IST)