કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખનાં પુત્ર મિતરાજસિંહ સોલંકીના આપઘાતનું રહસ્ય અકબંધ
(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૨૭: જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના ભત્રીજા અને કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીના ૨૨ વર્ષીય આશાસ્પદ યુવાન પુત્ર મિત સોલંકીએ આજે બપોરે તેમના નિવાસે જમણે લમણે રિવોલ્વર થી ફાયરીંગ કરી સ્યુસાઇડ કરતાં ચકચાર મચી છે.
આ ઘટનાની વિગત મુજબ કોડીનારના રાજકીય પરીવાર ગણાતાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીના યુવાન આશાસ્પદ પુત્ર મિતરાજસિંહ સોલંકી ઉ.વ.૨૨ એ આજે દેવળી સ્થિત તેમના માનઘર નિવાસ સ્થાને બપોરે ૧ થી ૨ ની વચ્ચે તેના મિત્રની રિવોલ્વર વડે જમણે લમણે રિવોલ્વર વડે ફાયરીંગ કરી કોઈ અકળ કારણોસર સ્યુસાઇડ કરતા આ અંગે તેમના પરિવારજનોને જાણ થતા તેને પ્રથમ અબુંજા હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ફરજ પર ના ડોકટરે તેને મૃત જાહેર કરતા તેના મૃતદેહ ને પોસ્ટ માર્ટમ માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડતા ત્યાં કોડીનારના રાજકીય આગેવાનો સહિતના લોકોક મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.મગજ ના ભાગ માં ગોળી વાગેલી હોય ફાયર કે મિસ ફાયર જેવી ચોક્કસ વિગત જાણવા જામનગર પી.એમ માટે મોકલેલ છે.બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
જો કે આ બનાવનું રહસ્ય હજુય અકબંધ છે. અને પોલીસ જુદી -જુદી દિશામાં તપાસ કરી રહી છે.
કોડીનારનાં મિતરાજસિંહ સોલંકીની બપોરે અંતિમવિધી
કોડીનારઃ કોડીનાર નગર પાલીકાના પુર્વ પ્રમુખ શિવાભાઇ સોલંકીના પુત્ર મિતરાજસિંહ સોલંકીની અંતિમવિધી આજે બપોરે નીકળશે.
આજે બપોરે ૩ વાગ્યે તેમના નિવાસસ્થાન માનઘર દેવળી રોડ, કોડીનાર ખાતેથી નીકળશે.