કેશોદમાં અનુ.જનજાતી પ્રમાણપત્રો અંગ્રેજીમાં આપવા આવેદન
કેશોદ : (કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદૅં કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું.આવેદનપત્રમાં જણાવેલ કે અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં આપવામાં આવેલછે જે પ્રમાણપત્રો જુદી જુદી સરકારી ભરતીઓમાં અંગ્રેજી ભાષામાં માંગવામાં આવેછે. જેના કારણે અનેક યુવાનોની નિમણૂક પછી વંચિત રહે છે. તેમજ જુદી જુદી સરકારશ્રીની યોજનાઓમાં પણ અંગ્રેજી પ્રમાણપત્ર માંગવામાં આવેછે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન અંગ્રેજી પ્રમાણપત્ર આપવામાં નહી આવે તો રબારી જ્ઞાતી મંડળો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.આવેદન આપ્યું તે તસ્વીર.(તસ્વીર : કિશોરભાઇ દેવાણી, કેશોદ)