Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

અમરેલીના અકિલાના પત્રકાર અરવિંદભાઇ નિર્મળના સુપુત્રના સોમવારે શુભલગ્નઃ ચિ. ભાવિન - ચિ. દિપા : ચિ. ભાવિન અને ચિ. સુધીરની યજ્ઞોપવિત અર્પણ વિધિ

રાજકોટ : અમરેલીના ''અકિલા'' ના પત્રકાર શ્રી અરવિંદભાઇ ભાઇલાલભાઇ નિર્મળ અને શ્રીમતી જસુમતીબેનના સુપુત્ર ચિ. ભાવિનના શુભલગ્ન પોરબંદર નિવાસી ગં.સ્વ. જયશ્રીબેન અને સ્વ. તનસુખભાઇ દુર્લભજીભાઇ સોનેજીના સુપુત્રી ચિ. દિપા સાથે તા. ૭ ને સોમવારે નિરધારેલ છે.

તેમજ ચિ.ભાવિન અને ચિ. સુધીરને યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ તા. ૬ ને રવિવારે નિરધારેલ છે.

સાંજીના ગીત તા.પ ને શનિવારે સાંજે પ વાગ્યે મંડપ મુહુર્ત તા.૬ને રવિવારે સવારે ૭-૩૦ વાગ્યે, ગ્રહશાંતી-યજ્ઞો પવિત સવારે ૯ વાગ્યે, ભોજન સમારંભ બપોરે ૧ર વાગ્યે માતુશ્રી ગંગાબાઇ વાડી પાણી દરવાજા રોડ, અમરેલી ખાતે રાખેલ છે. જાન પ્રસ્થાન તા.૭ ને સોમવારે સવારે પ વાગ્યે તથા હસ્તમેળાપ વિધિ તા.૭ ને સોમવારે બપોરે ૧૧-૩૦ વાગ્યે સ્વ. તનસુખભાઇ દુર્લભજીભાઇ સોનેજી બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, ખાખ ચોક, પોરબંદર ખાતે રાખેલ છે.

(11:19 am IST)