Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

૮૭ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફી નહિં રમાય

કોરોનાની મહામારીના પગલે બીસીસીઆઈનો નિર્ણય ૧૯૩૪થી આ ટુર્નામેન્‍ટ રમાય છે

મુંબઈ : કોરોનાની મહામારીનો માર દેશના આંતરરાજય ક્રિકેટને પણ પડયો છે. તેના જ કારણે ૮૭ વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફી ટુર્નામેન્‍ટ રમાડવામાં આવશે નહિં. બીસીસીઆઈ દ્વારા રણજી ટ્રોફી ૨૦૨૦-૨૧નું સત્ર રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ મામલે બીસીસીઆઈએ હજુ સત્તાવાર કરી નથી. દર વર્ષે રણજી ટ્રોફી ઓકટોબર અને ફેબ્રુઆરી વચ્‍ચે રમાય છે.

ફેબ્રુઆરીમાં વિજય હજારે ટુર્નામેન્‍ટ

રણજી ટ્રોફી રદ્દ થયા બાદ બીસીસીઆઈ વિજય હજારે ટુર્નામેન્‍ટનું આયોજન કરનાર છે. બોર્ડ દ્વારા બે અઠવાડીયામાં સમગ્ર ટુર્નામેન્‍ટનો કાર્યક્રમ જાહેર કરશે.

 

(4:19 pm IST)