ટેસ્ટમાં કોહલીને મિસ કરીશુ, અન્ય ખેલાડીને પણ તક મળશેઃ શાસ્ત્રી
સિડનીઃ. વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા સામેની પહેલી ટેસ્ટ મેચ બાદ ભારત પાછો આવી રહ્યો છે. એવામાં ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ટીમમાં તેની ખાલી થનારી જગ્યાએ અન્ય ખેલાડીને રમવાની તક મળશે.
આ સંદર્ભે શાસ્ત્રીએ કહ્યું કે મારા ખ્યાલથી તેનો નિર્ણય યોગ્ય છે. આવી ક્ષણ જીવનમાં વારંવાર નથી આવતી. તેને આ તક મળી છે અને તે સ્વદેશ પાછો જાય છે. મારા ખ્યાલથી તે પોતે આ વિશે ઘણો ખુશ છે. છેલ્લા પાંચ-છ વર્ષમાં તમે જોશો તો તમને ખબર પડશે કે ભારતની સફળતા પાછળ તેનુ ઘણુ મોટું યોગદાન છે અને એ વાતમાં કોઈ બેમત નથી, અમે ચોક્કસ તેને મિસ કરીશું, પણ સાથે સાથે મારે એમ પણ કહેવુ જોઈએ કે તેની ગેરહાજરીને લીધે અન્ય ખેલાડીને રમવાની તક મળશે. ટીમ પાસે અન્ય એવા ઘણા પ્લેયર છે જે તકની રાહ જોઈ રહ્યા છે. કદાચ તેમને માટે આ તક છે.