Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

યુનિવર્સિટી રોડ જૈન મૂર્તિપૂજક તપગચ્‍છ સંઘના ખજાનચી

નિલેષ કોઠારીનો આજે જન્‍મદિનઃ શુભેચ્‍છા વર્ષા

રાજકોટ,તા. ૨૧: જૈન અગ્રણી નિલેષ કોઠારીનો આજે જન્‍મદિન છે.તેઓ શ્રી સુમતીનાથ જિનાલય- યુનિવર્સિટી રોડ જૈન મૂર્તિપૂજક તપગચ્‍છ સંઘના ખજાનચી તરીકે સેવા આપી રહ્યા છે. તે ઉપરાંત વિશ્વ ની જૈનો ની સૌથી મોટી સંસ્‍થા જૈન સોશિયલ ગ્રુપ ઇન્‍ટ. ફેડરેશન ના સૌરાષ્ટ્ર રીજીયન ૪૦ વધુ ગ્રુપના આશરે દશ હજાર થી વધુ સભ્‍યો માનદ મંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.
જૈન સમાજ સાધુ-સાધ્‍વીજી ભગવંતોની વૈયાવચ્‍ચ માટે તન, મન, ધનથી તત્‍પર હોય છે. પિતા હસમુખભાઈ અને માતા કલ્‍પનાબેનના સુપુત્ર નિલેષભાઈનો ઉછેર નાનપણથી જ ધર્મના ઉચ્‍ચ સંસ્‍કારો દ્વારા થયો છે.
રાષ્ટ્રસંત પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. તેમજ પ. પૂ. આચાર્ય શ્રી પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ. સા. નાં તેમના પરિવાર પર હંમેશા આશીર્વાદ રહેલ છે. તેમના માતા-પિતા તથા તેમના ધર્મપત્‍ની શ્રીમતી બીજલબેન તેમજ સંતાનો સાગર અને ચાંદની પણ તેમની સાથે ખભે ખભો મેળવી સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સહકાર આપે છે.
નિલેષભાઈ તેમના જન્‍મદિવસ નિમિતે સેવાકીય સંસ્‍થાઓમાં અનુદાન આપશે. જન્‍મદિનની તેઓને શુભેચ્‍છા મળી રહી છે. મો. ૯૩૭૭૭ ૭૭૬૦૧.

 

(2:42 pm IST)