Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

હનુમાનજી મહારાજના અનન્‍ય સેવક જામજોધપુરનાં શ્રી લખુદાદાનો જન્‍મદિન

રાજકોટ, તા.૨૬: જામનગર જીલ્લાના જામજોધપુરનાં શ્રી રોકડીયા હનુમાનજી મંદિરના પૂ.લખુદાદા પાબારીનો આજે જન્‍મદિવસ છે.

જામજોધપુરમાં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ પૂ.લખુદાદા પાબારીની આગેવાનીમાં કરવામાં આવી રહી છે.

હનુમાનજી મહારાજના અનન્‍ય સેવક પૂ.લખુદાદાના ૮૧માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તેમના ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

આજે શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે પૂ.લખુદાદા પાબારીના ભાવિકો રૂબરૂ જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવીને આર્શીવાદ લઇ રહ્યા છે.

પૂ. લખુદાદા પાબારીના (મો.નં.૯૪૨૭૨ ૮૪૫૬૧) ઉપર જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(10:23 am IST)